Monday, May 05, 2014

મૃત્યુ બાદ કેટલા દિવસે જીવ પહોંચે છે યમલોક? શું થાય છે રસ્તામાં ?

મૃત્યુ એક સનાતન સત્ય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી સ્વર્ગ-નરકની માન્યતા પણ છે. પુરાણ અનુસાર જે માણસ સારું કર્મ કરે છે, તેના પ્રાણ હરનાર દેવદૂત આવે છે અને તેને સ્વર્ગ જાય છે. જે માણસ જીવનભર ખરાબ કામમાં કરતા રહે છે, તેના પ્રાણ હરનારા યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, પણ તેના પહેલા તે જીવાત્માના યમલોક લઈ જાય છે, જ્યાં યમરાજ તેના પાપના આધારે તેને સજા આપે છે.

મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરૂડ પુરાણમાં જણાવાયું છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે કઈ રીતે માણસના પ્રાણ નિકાળે છે અને કઈ રીતે તે પ્રાણ પિંડદાન પ્રેતના રૂપમાં પ્રાપ્ત કરે છે.

- ગરૂડપુરાણ અનુસાર જે માણસનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે બોલવાની ઈચ્છા હોવા છતાં પણ બોલી શકતા નથી. અંત સમયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એક રૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રીઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થા હોય છે એટલેકે હલનચલન માટે વ્યક્તિ અસમર્થ હોય છે. ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે.
- તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.
- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

- યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે. યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી.
- ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.

- અગ્નિની જેમ ગરમ હવા તથા ગરમ વાળ પર તે જીવ ચાલી નથી શકતો અને તે ભૂખ-તરસથી પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે યમદૂત તેની પીઠ પર ચાબુક મારતા તેને આગળ લઈ જાય છે. તે જીવ પડતો આખડતો બેહોશ થતો ચાલે છે અને પછી ઉઠીને ચાલવા લાગે છે. આ પ્રકારના યમદૂત તે પાપીને અંધારઘેર્યા માર્ગથી યમલોક લઈ જાય છે.

- ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99  હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.


- ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.

- ત્યાર પછી જે પરમાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.

- ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.


- ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.

- યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે.

- આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે. આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરિમાં આવે છે.

Thursday, May 01, 2014

જાણી લો...શા માટે ઉજવાય છે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન ?

1લી મે 1960માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.મુંબઈ રાજ્યમાંથી છુટા પડેલા મહારાષ્ટ્ર અને ગુજરાતનો ઈતિહાસ અલગ સંદેશો જણાવે છે. કેમ કરવુંપડ્યું ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત આંદોલન તેની માહિતી આ પ્રમાણે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાત ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી. અને ત્યારબાદ ટુંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ. મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કેમ થઈ અને મહાગુજરાત ચળવળના મુખ્ય હિરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક.. 1956માં ઈન્દુલાલ યાજ્ઞિકે અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો.


વધુમાં દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય અપાવવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે. જો કે અહી વાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નહી. પરંતુ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજ્યની રચના અને તેના અનોખા ઈતિહાસની છે. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જો કે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલુ હતુ. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જો કે તે માટે પ્રજા તૈયાર નહોતી.. અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.1960માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર અને બીજુ રાજ્ય ગુજરાત બન્યું.


નોંધનીય છે કે સદીઓથી ગુજરાતની ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે એક ઓળખ હતી. સાંસ્કૃતિક બાબતોમાં મુખ્ય ત્વે ભાષા, સાહિત્યનો વારસો, પોતીકો ખોરાક, પહેરવેશ રહેણી કરણી, રીત રિવાજો જેને ગુજારતની ઓળખ કહી શકાય તેવી રહી છે. મહાગુજરાતની ચળવળ પાછળનો મુખ્ય આશય ભાષા ઉપર આધારીત પ્રાંતની રચના કરવાનો રહ્યોં છે. દ્વિભાષી રાજ્ય મુંબઈના પ્રસ્તાવના વિરુદ્ધમાં મહાગુજરાત ચળવળની જરુરીયાત ઊભી થઈ હતી. જે પ્રકારે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી એકમેક થઈને થાય છે તેવી જરીતે મહાગુજરાત ચળવળ શરુ કરાઈ હતી. પ્રત્યેક ગુજરાતી જાતી અને ધર્મથી પર થઈને એક ગુજરાતીના રુપમાં ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્ર્યતા બાદ ભારતમાં વિવિધ ભાષાની જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરુપ રાજ્યો સ્થાપના કરાય તેવો વિચાર રજૂ કરાયો હતો.


8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરોધમાં હજારો વિદ્યાર્થિઓ ભદ્રની કોંગ્રેસ ઓફિસે એકત્રિત થયા. અને વિરોધ પ્રદર્શન કર્યા. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ ઓફિસ પર ગોળીબાર થયો.. જેમાં 7થી 8 વિદ્યાર્થી શહિદ થયા. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણ થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરાઈ. હરીહર ખંભોળજા, હરીપ્રસાદ વ્યાસ અને પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં પ્રવાસ કરી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ કરી. આ રમખાણોમાં 12 લોકો શહીદ થયા જ્યારે 80 લોકો ઘાયલ થયા. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન થયા 10 ઓગસ્ટે 5 લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકો ઘાયલ થયા. અને આ ચળવળે વેગ પકડી અમદાવાદથી નડિયાદ, પારડી, સુરત રાજકોટ, અમરેલી, બાવળા, ભૂજ, આણંદ , પાલનપુર સહિત રાજ્યભરમાં જંગ શરુ થઈ. અંતે કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957માં લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુક્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરાયો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી હતી. જેથી જીવરાજમહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયો.


જ્યારે લોકસભાએ ગુજારતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગરમાં મહાગુજરાત પરિષદની આખરી બેઠક થઈ અને તેને ભંગ કરી દેવાઈ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યના સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. સ્થાપના બાદ ગુજરાતે મોટાભાગના ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કર્યો. આજે દેશભરમાં ગુજરાતનું નામ અને યોગદાન છે. ગુજરાતીઓનું ખમીર અને કઠોર પરિશ્રમ અને યોગદાન દુનિયાભરમાં વખણાય છે.

Sunday, April 13, 2014

Full Name Of Famous Company In The World

1.  SAP : જર્મનીની એન્ટરપ્રાઇઝ સોફટવેર કંપની બિઝનેસ ઓપેરેશન અને કસ્ટમર રિલેશન મેનેજ કરે છે. SAPનુ આખું નામ સિસ્ટમ એનાલિસીસ એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ - System Analysis and Program Development છે.

2.  DHL : આ કંપનીનું નામ ડીએચએસ ત્રણ એન્ટરપ્રિન્યોરશીપ Adrian Dalsey, Larry Hillblom અને Robert Lynn એ કંપનીની સ્થાપના કરી હતી. ત્રણેયના છેલ્લાં નામ પરથી કંપનીનું નામ બનાવામાં આવ્યું હતું.  Adrian Dalsey, Larry Hillblom, Robert Lynn

3.  IBM : આ કંપનીનું આખું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનસ કોર્પોરેશન (International Business Machine Corporation) છે. મલ્ટીનેશનલ ટેકનોલોજી અને કન્સલટીંગ કોર્પોરેશન છે. આ કંપનીની સ્થાપના 1911મા થઇ હતી અને તેનું હેડક્વાર્ટર અમેરિકામાં છે.

4.  WIPRO : ભારતની સૌથી પ્રખ્યાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફર્મ વિપ્રોના નામથી જગવિખ્યાત છે. WIPROના ટૂંકા નામથી ઓળખાતી કંપનીનું આખું નામ વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોડક્ટસ લિમિટેડ (Western India Products Limited).

5. TLC : આ સ્પેશ્યાલિટી કેબલ ચેનલ TLCનું નામ ધ લર્નિંગ ચેનલ (The Learning Channel) છે. આ કંપની ડિસ્કવરી ચેનલ, એનિમલ પ્લાનેટ અને ધ સાયન્સ ચેનલ સહિત અન્ય લર્નિંગ થીમ નેટવર્કને ઓપરેટ કરે છે.

6. FIAT : ફિઆટનું આખું નામ ફેબ્રિકા ઇટાલિયન ઓટોમોબિલ ટોરિનો (Fabbrica Italiana Automobili Torino) છે. તેનો અર્થ ટયૂરિનની ઇટાલિયન ઓટોમોબાઇલ ફેકટરી થાય. આ કંપનીની સ્થાપના ઇટાલીમાં 1899મા થઇ હતી.

7. HMV : બ્રિટિશ ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ રિટેલ ચેન HMVનું આખું નામ ઇઝ માસ્ટર્સ વોઇસ (His Master's Voice) છે. આ કંપની હોંગકોંગ અને સિંગાપોરથી ઓપરેટ થાય છે. કંપની લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

8. TCS : ઇન્ડિયાની મોસ્ટ વેલ્યુએબલ કંપની ટીસીએસનું આખું નામ ટાટા કન્સલટન્સી સર્વિસીસ લિમિટેડ (Tata Consultancy Services) છે. આ કંપની મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સર્વિસીસ, બિઝનેસ સોલ્યુશન્સ અને આઉટસોર્સિંગ સર્વિસીસનું કામ કરે છે.

9. Amul : ગુજરાતના નાનકડા ટાઉન આણંદમાં કો-ઓપરેટિવ અમૂલનો દુનિયાભરમાં ડંકો વાગે છે. તે AMULનું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (Anand Milk Union Limited) છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મોટાપાયે ડેરી પ્રોડક્ટની નિકાસ કરે છે. અમૂલનું 2011-2012મા વાર્ષિક ટર્નઓવર 2.5 અબજ ડોલર હતું.

10. IKEA : સ્વીડનની આ કંપની એસેમ્બલ ફર્નિચરની ડિઝાઇન અને વેચાણ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. IKEAના કેપિટલ ચાર લેટરનો મતલબ Ingvar Kamprad Elmtaryd Agunnaryd થાય છે. તેમાં સૌપ્રથમ નામ Ingvar આઇકિયા સ્ટોરની સ્થાપના કરનારનું છે. Kનો મતલબ Kamprad, જે આઇકિયા સ્ટોરનું લાસ્ટ નામ છે. Eનો મતલબ Elmtaryd, જે આઇકિયાના સ્થાપકનું એક ફાર્મ છે. જ્યારે A નો મતલબ Agunnaryd, જે સ્થાપકના બાળપણના ગામનું નામ છે.

11. HTC : તાઇવાનની સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની એચટીસી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. HTCનું આખું નામ હાઇ ટેક કોમ્પ્યુટર કોર્પોરેશન (Hi-Tech Computer Corporation) થાય છે. કંપની દુનિયાનો સૌપ્રથમ ટચ અને વાયરલેસ હેન્ડહેલ્ડ ડિવાઇડ 1998મા બનાવ્યું હતું.

12. JBL : ભારતમાં આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર એઆર રહેમાન છે. જેબીએલની પ્રોડક્ટ્સ માટે ભારતના સંગીત પ્રેમીઓ તેના શોખીન છે. આ કંપનીના સંસ્થાપક James Bullough Lansing. તેમના ટૂંકા નામ પરથી કંપનીનું નામ JBL પડ્યું છે.

13. 3M : અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીનું નામ 3M છે. મિનેસોટા માઇનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ (Minnesota Mining and Manufacturing) એટલે કે કંપનીના નામના પ્રથમ એમ પરથી નામનું ટૂંકું નામ એટલે 3M પડ્યું.

14. AT&T : અમેરિકાની આ મલ્ટીનેશનલ ટેલિકોમ્યુનિકેશન કંપની છે. આ કંપનીનું આખું નામ અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ (American Telephone and Telegraph) કંપની છે. આ કંપની બ્રોડબેન્ડ અને સબક્રિપ્શન ટેલિવિઝન સર્વિસીસ પૂરી પાડે છે.

15. H&M : દુનિયાભરમાં સ્ત્રી-પુરુષ, ટીનેજર્સ, અને બાળકો માટે ફાસ્ટ ફેશન ક્લોથિંગ બ્રાન્ડ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ સ્વિડિશ કંપનીનું નામ Hennes & Mauritz છે.

16. ING Group : આઇએનજી ગ્રૂપ બેન્કિંગ, એસેટ મેનેજમેન્ટ, અને ઇન્શયોરન્સ સર્વિસીસનું કામ કરે છે. આઇએનજીનું આખું નામ ઇન્ટરનેશનલ નેધરલેન્ડ ગ્રૂપ (International Netherlands Group) છે.

17. BMW : જર્મનીની ઓટોમોબાઇલ કંપની બીએમડબલ્યું નું આખું નામ Bayerische Motoren Werke છે. આ કંપની મોટરસાઇકલ અને એન્જિન મેન્યુફેકચરિંગ કરતી કંપની છે. તેની સ્થાપના 1917મા થઇ હતી.

18. KFC : દુનિયાની સૌથી મોટી ફ્રાયડ ચિકનની ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં ચેઇન ધરાવતી કેએફસીનું આખું નામ Kentucky Fried Chicken છે. કેએફસી દુનિયાભારમાં પ્રખ્યાત છે. તેના 105 દેશમાં 17000 આઉટલેટ છે.

19. BPL : બીપીએલનું આખું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીઝ (British Physical Laboratories) થાય છે. ઇન્ડિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની કન્ઝયુમર એપ્લાયન્સ, હોમ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટ્સ અને હેલ્થ કેર ડિવાઇસની વસ્તુઓ બનાવે છે. આ કંપનીની સ્થાપના 1963મા થઇ હતી.

20. BASF : દુનિયાભરમાં કેમિકલ ક્ષેત્રે ડાઇવર્સિફાઇડ થયેલી માત્ર આ એક કંપની છે. કંપની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 200 દેશોમાં તેના ગ્રાહકો છે. BASFનું આખું નામ Baden Aniline and Soda Factory છે.

21. BHEL : નવી દિલ્હીની ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કંસ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ, અને સર્વિસીસ સહતિ ઘણા ક્ષેત્રની પ્રોડક્સટ અને સર્વિસ આપતી કંપની ભારતીય ઇકોનોમીને ઘણી મદદરૂપ થાય છે. આ કંપનીનું આખું નામ Bharat Heavy Electricals Limited છે.

22. BPL : ઘણા લોકો મજાકમાં બીપીએલને 'બાપના પૈસા લહેર' એવું કહેતા હોય છે. પરંતુ તેનું ખરેખરમાં સાચું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીસ (British Physical Laboratories) કહેવાય છે. આ કંપનીની સ્થાપના 1963માં થઇ હતી.

23. BEML : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું નામ ભારત અર્થ મુવર્સ લિમિટેડ (Bharat Earth Movers Limited) છે. કંપનીનું હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં આવેલું છે. આ કંપની ભારે વાહનો બનાવે છે. તેમના વાહનોનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે થાય છે.

24. BHEL : દિલ્હીની આ કંપની કોર સેકટર જેવાં કે ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કન્સ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને સર્વિસીસ પ્રોડક્ટ માટે કામ કરે છે. આ કંપનીનું નામ Bharat Heavy Electricals Limited.

25. ICICI બેન્ક : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની ICICI બેન્કનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. તે બેન્કિંગ પ્રોડક્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ પૂરી પાડે છે. આ બેન્કનું પૂરું નામ Industrial Credit and Investment Corporation of India Bank છે.

26. HDFC : ભારતની સૌથી મોટી મોર્ગેજ કંપની એચડીએફસી સ્થાપના 1977માં થઇ હતી. આ બેન્કનું આખું નામ Housing Development Finance Corporation Limited છે.

27. ESPN : રમતગમત માટે વૈશ્વિક ટેલિવિઝન નેટવર્ક ધરાવતી કંપનીનું નામ Entertainment and Sports Programming Network છે.

28. HSBC : મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફઆઇનાન્સિયલ સર્વિસીસનું કામ કરતી આ બેન્ક દુનિયાભરમાં તેની શાખાઓ ધરાવે છે. છેલ્લાં કેટલાંય સમયથી કાળા નાણાંના મુદ્દે સતત ચર્ચામાં છે. આ બેન્કનું આખું નામ Hongkong and Shanghai Banking Corporation છે.

29. HCL : વૈશ્વિક ટેકનોલોજી અને આઇટી એન્ટરપ્રાઇઝ કંપનીનું હેડક્વાર્ટર ભારતમાં આવેલું છે. આ કંપનીનું ફોકસ મુખ્યત્વે આઇટી હાર્ડવેર પર જ છે. HCLનું આખું નામ Hindustan Computer Limited છે.

30. L&T : ભારતમાં આવેલી આ મલ્ટીનેશનલ કોર્પોરેશનનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. આ કંપની ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન અને મેન્યુફેકચરિંગ ગુડઝના વેપારમાં જોતરાયેલી છે. આ કંપનીનું આખું નામ Larsen & Toubro છે.

31. LEGO : લીગો ગ્રૂપના સ્થાપના 1932મા થઇ હતી. આ કંપની રમકડાની સાથે બાળકો માટે અનુભવે શૈક્ષણિક મટીરિયલ પણ બનાવે છે. તેનું આખું નામ  ‘Leg Godt’ છે, તેનો મતલબ પ્લે થાય છે.

32. MRF : ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપનીનું આખું નામ Madras Rubber Factory છે. જે MRF તરીકે સૌથી વધુ પ્રખ્યાત છે.

33. CEAT : મુંબઇની ટાયર બનાવતી કંપની CEATનું આખું નામ Cavi Elettrici e Affini Torino છે.

34. HMT : HMTનું આખું નામ Hindustan Machine Tools છે. કંપની ઘડિયાળ, ટ્રેકટર, પ્રિન્ટિંગ મશીનરી અને પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી પણ બનાવે છે.

35. INTEL : દુનિયાની સૌથી મોટી ચીપ બનાવતી કંપની ઇન્ટેલનું આખું નામ Integrated Electronics છે. આ કંપની મધરબોર્ડ ચીપેસ્ટસ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર્સ અને ઇન્ટીગ્રેટેડ સર્કિટ, ફ્લેશ મેમોરી, ગ્રાફિક ચિપ્સ સહિત ઘણી પ્રોડ્કટસ બનાવે છે.

36. CAT : CAT તરીકે ઓળખાતી આ કંપનીનું આખું નામ Caterpillar Inc છે. આ કંપની ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સેલિંગ મશીનરીની સાથો સાથ કંપની ફાઇનાન્સિયલ પ્રોડક્ટસ અને ઇન્શયોરન્સનું પણ વૈશ્વિક સ્તરે કામ કરે છે.

37. ITC : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું આખું નામ India Tobacco Company છે. આ કંપની એફએમસીજી માર્કેટ્સમાં, હોટલ, પેપરબોર્ડ્સ, પેકેજીંગ, એગ્રી બિઝનેસ, અને આઇટી સાથે પણ સંકળાયેલી છે.


38. CNN : દુનિયાના 212 દેશમાં તેના દર્શકો છે. 1980ની સાલમાં આ નેટવર્કને લૉન્ચ કરાયું હતું. Cable News Network

39. NASA : નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (National Aeronautics and Space Administration) તરીકે જાણીતું છે. અમેરિકન સરકારની એજન્સી સ્પે પ્રોગ્રામ, એરોનોટિક્સ એન્ડ એરોસ્પેસ રિસર્ચ માટે કામ કરે છે.

40. HP : ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોર્પોરેશની સૌથી પ્રખ્યાત કંપની એચપીનું નામ Hewlett-Packard છે. આ કંપની ટેકનોલોજી, સોફ્ટવેર, સોલ્યુશન્સ અને સર્વિસીસ આપવાનું કામ કરે છે.

41. GE : આ કંપનીનું આખું નામ જનરલ ઇલેક્ટ્રીક (Journal Electric) કંપની છે. આ કંપની એનર્જી, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર, કેપિટલ ફાઇનાન્સ, કન્ઝયુમર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં પણ કામ કરે છે.

42 P&G : મલ્ટીનેશનલ કન્ઝયુમર ગુડઝ કંપની P&Gનું આખું નામ પ્રોકટર એન્ડ ગેમ્બલ (Procter and Gamble) છે. આ કંપની હેઠળ 20થી પણ બ્રાન્ડ કાર્યરત છે. 2011ની સાલના રિપોર્ટ પ્રમાણે આ કંપનીએ વાર્ષિક ચોખ્ખું વેચાણ એક અબજ ડોલરથી પણ વધુ કર્યું હતું.

Thursday, April 03, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી શ્રીરામ અને રામાયણ

રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે ઃ કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ

'રામ' - અક્ષર બે, શબ્દ એક પણ એના અર્થ અનેક. બાવન અક્ષર બહારની બાબત  પણ છે - છતાં સૌ સાથે તેમનું સગપણ છે. રામને સમજવા બહુ સહેલા છે પણ સમજાવવા બહુ અઘરા છે. શિવ-પાર્વતી રામકથા સાંભળે છે ત્યારે ખુદ જગતજનની મા આદ્યશક્તિ મા સતીને પણ શંકા થાય છે કે શું આ સામાન્ય માણસ ખુદ બ્રહ્મ છે? આ માટે સતી ખુદ સીતા બન્યાં. પારખું કરવા ગયાં ને પકડાઈ ગયાં. પછી શું થયું એ આખું જગત જાણે છે. એટલે જ કહ્યું છે કે ઃ-

એક રામ દશરથકા બેટા,
એક રામ ઘટ ઘટમેં લેટા;એક રામ હૈ જગતપસારા,એક રામ હૈ સબસે ન્યારા.

રામ કરતાં યે રામનું નામ મહાન છે. વાલિયો લૂંટારો રામને બદલે 'મરા... મરા' બોલીને મહાન વાલ્મિકી ઋષિ બની ગયા અને આપણને સમગ્ર વિશ્વનું ઉત્તમ મહાકાવ્ય રામાયણ મળી ગયું એ આનું ઉત્તમ ઉદાહરણ છે.

રામ + આયણ. આયણ એટલે રહેઠાણ. ગતિ. રામનું સુંદર રહેઠાણ એટલે રામાયણ અને આત્માની ગતિ રામ તરફ થાય એનું  નામ પણ રામાયણ. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને આધારશિલા એટલે રામાયણ અને મહાભારત. બન્ને દિવ્ય મહાકાવ્યના પહેલા અક્ષર લો એટલે 'રામ' - બને. એકમાં રામ છે. બીજામાં શ્રીકૃષ્ણ છે. રામ માટે સત્ય એ જ પ્રેમ છે અને શ્રીકૃષ્ણ માટે પ્રેમ એ જ સત્ય છે. રામ કરુણાનિધાન છે એટલે સત્ય, પ્રેમ અને કરુણાએ ત્રિવેણી સંગમ રચાય છે - જેમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ઉજાગર થાય છે. ભારતનાં આ બે મહાકાવ્યોમાંથી રામ અને કૃષ્ણ કાઢી લો એટલે શું બચે?

માણસે જીવનમાં શું શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે. યોગી બનવા કરતાં ઉપયોગી બનો એવું પાદુકાની પૂજા કરનાર ભાઈ ભરત શીખવે છે. મહત્ત્વના થવું સારું નથી પણ સારા થવું એ મહત્ત્વનું છે એ ભાઈ લક્ષ્મણ શીખવુ છે. કોઈનું ભલું ન થાય એની ચિંતા કરવા કરતાં કોઈનું બૂરું કરવું નહિ એ ભાઈ શત્રુઘ્ન કહી જાય છે. સ્ત્રી માટે પતિ જ પરમેશ્વર છે એવું સીતાજીનું જીવન છે. લક્ષ્મણજી વનમાં હોવા છતાં જીવનમાં પરિવાર કલ્યાણ મંત્રનું પાલન કરનાર ઊર્મિલાનું પતિસુખનું બલિદાન કૌશલ્યા માટે વરદાન બની જાય છે. વનવાસ દરમિયાન રામ-સીતાના દાંપત્યજીવન થકી વન ઉપવન બને છે. જીવન ધન્ય બને છે.


સીતાજીમાં ગંગાની પવિત્રતા છે, ભરતજીમાં યમુનાજીની વિશાળતા છે અને ઊર્મિલામાં મા સરસ્વતીજીના સંસ્કારનાં દર્શન અદ્ભુત રમ્ય ત્રિવેણી સંગમ રચી જાય છે. એક એક પાત્રમાં ખુદ્દારી, ખુમારી અને ખાનદાનીની ઝલક દેખાય છે. હનુમાનજી વિશે તો શું કહેવું? એ તો આખેઆખી નવધા ભક્તિનું હાલતું, ચાલતું, જીવતું, જાગતું જાણે ભવ્ય મંદિર ના હોય? કોણ સાચું છે એ નહિ પણ શું સાચું છે? એ વિભીષણ જગતને શીખવી જાય છે.

યોગ ઃ કર્મસુ કૌશલમ્ - કુશળતાપૂર્વક કરેલું કાર્ય એ યોગ જ છે  એના પ્રતિનિધિ રામસેતુ બાંધનારા નલ અને નીલ છે. જર, જમીન અને જોરૃ - ત્રણેય કજિયાનાં છોરુ એ કહેવત વાલિ અને સુગ્રીવ થકી સાબિત થતી જોવા મળે છે. તો ઝાઝા હાથ રળિયામણા, સંપ ત્યાં જંપ જેવી કહેવતો આખી વાનરસેના અમલમાં મૂકી બતાવે છે. કેવટ ગૃહ એક નાવિક શ્રદ્ધાથી પર્વત પણ ચળે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાવિક પ્રેમ એટલે આચરણમાં મૂકેલી શ્રદ્ધાનું પ્રતીક છે. કહ્યું છે કે

કર્મ જો તેરે અચ્છે હૈ તો તકદીર તેરી દાસી હૈ;દિલ જો તેરા અચ્છા હૈ તો ઘરમેં મથુરાકાશી હૈ.વાસ્તવિક જીવનમાં બધાં સગાં વહાલાં નથી હોતાં અને બધાં વહાલાં સગાં નથી હોતાં - એ જોવા મળતું નગ્ન સત્ય આપણને કૈકેયીમાં પ્રતીત થાય છે. પરપુરુષના પ્રેમમાં પડવાથી કેવી હાલત થાય છે એ શૂપર્ણખાના હાલ જોયા પછી ય સમજાવવું પડે ખરું? પરસ્ત્રી ઉપર દાનત બગાડનાર રાવણે આખેઆખી સોનાની લંકા પોતાની નજર સામે સળગતી જોઈ એટલું જ નહિ બધું જ બરબાદ થઈ ગયું એ કામાંધ માણસ શાનમાં સમજી જાય તો સારું એવો બોધ આપે છે. તો ઈન્દ્રાસન લેવા ગયેલા કુંભકર્ણને નિદ્રાસન મળ્યું તે સત્તાભૂખ્યા માણસનું હૂબહૂ પ્રતીક છે. હવે તો ચેતો!

માતા પિતાની આજ્ઞાા આગળ એક રામ એકવચની બની અયોધ્યાનું રાજ છોડી જંગલની વાટ પકડે છે ત્યારે શું થાય છે? રામનું વચન એક છે, રામબાણ એક છે, પત્ની એક છે, માબાપની આજ્ઞાા એમની ટેક છે, રામના ઈરાદા નેક છે, વલ્કલ એમનો ભેખ છે, દેશ એવો વેશ છે, દિલના એ નેક છે એટલે જ સ્તો તેમના ભક્તો અનેક છે. હનુમાનજીને શ્રીરામ ભાઈ ભરત જેટલો પ્રેમ આપી બિરદાવે છે

ઃ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, સુગ્રીવને એ વાલિથી મુક્તિ અપાવે છે, નાવિકને એ પોતાના ચરણ ધોવા દે છે, લક્ષ્મણને પ્રેમ આપે છે, ભરતને પાદુકા આપે છે, અહલ્યાને શાપમાંથી મુક્ત કરી નવજીવન બક્ષે છે, શરણાગત વિભીષણને એ લંકાનું રાજ આપે છે, શબરીનાં એઠાં બોર ચાખી આખી દુનિયાને ભક્તિની શક્તિનો પરચો આપે છે, કૈકેયીને ક્ષમા આપે છે, મારીચને મોક્ષ આપે છે. રામ બધાને આપે છે, કોઈની પાસેથી કશું લેતા નથી. ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે એટલે તો હનુમાનજી છાતી ચીરે છે ત્યારે સાક્ષાત્ સીતારામ પ્રગટે છે. આ ભક્તિ જ માનવજીવનનું રસાયણ છે, જીવનની નોળવેલ છે, જીવવાની જડીબુટ્ટી છે અને આ જ ભક્તિ જીવનશક્તિ છે.


રામાયણમાં સમગ્ર પરિવારમાં ત્યાગ કરવાની હરિફાઈ થતી જોવા મળે છે. સાચા અર્થમાં અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર ત્યેન ત્યક્તેન ભુંજિયા - સાર્થક થતો જોવા મળે છે. ભગવદ્ ગીતાની અનાસક્તિ રામાયણની શોભામાં વધારો કરે છે. વનવાસમાં મોકલ્યા છતાં કૈકેયી પ્રત્યેનો રામનો માતૃપ્રેમ જુઓ; રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભાતૃપ્રેમ જુઓ, ભરતની રામ પ્રત્યેની પાદુકાભક્તિનો અનુરાગ જુઓ, ઊર્મિલા લક્ષ્મણના વિયોગમાં ઝૂરતી નથી, પરિવારનો ઉપયોગ એ યોગની કક્ષાએ કદી ભોગનો ત્યાગ આપી શોકને તિલાંજલિ આપી સાસુમાની સગી માની જેમ સેવા કરી ભારતીય નારીને હિમાલયની ઊંચાઈએ પહોંચાડી નારી તું નારાયણીનો દાખલો પૂરો પાડે છે. જ્યાં દુઃખ વહેંચવાની હરિફાઈ ચાલતી હોય છે ત્યાં ખુદ વિધાતાએ સુખની લ્હાણી કરવા નીકળવું પડે છે. આજનો માણસ સુખી થવા હાટુ દુઃખી થાય છે એવા માહોલમાં રામાયણના પરિવારની નજરે જુઓ તો સુખી સુખી થઈ જાય. રામાયણમાં એટલે જ તુલસીદાસ કહે છે

દૈહિક દૈવિક ભૌતિક તાપા;રામરાજ નહિ કાહુહિ વ્થાપા. નિયતિ કોઈને છોડતી નથી. ખુદ ભગવાનને પણ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો અને મહેલમાં ગયા. રામનો જન્મ મહેલમાં થયો અને જંગલમાં ગયા. વિધિની વક્રતા તો જુઓ - રાજગાદીના બદલામાં વનમાં રઝળપાટ, પુત્રોના વિયોગમાં પિતાશ્રી દશરથનું મરણ, સીતાજીનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણની મૂર્છા, સગર્ભા અવસ્થામાં ખુદની પત્નીનો ત્યાગ, સીતાજીની અગ્નિપરીક્ષા, પોતાના જ પુત્રો લવ-કુશ સાથે યુદ્ધની નોબત, સીતાજીનું પોતાની નજર સામે જ ધરતીમાં સમાઈ જવું, જીવનની સંધ્યાએ ખુદ પોતાની જ જળસમાધિ - આટલાં આટલાં દુઃખોના ઢગલા ઉપર બેસીને પણ શ્રીરામ અડગ રહ્યા છે, ધીરજની પણ ધીરજ ખૂટી જાય તેવું ધૈર્ય રાખી દુઃખોનો સામનો કર્યો છે જ્યારે આજે તો આપણા ઘરમાં પાંચ મિનિટ લાઈટ જતી રહે તોય ભરશિયાળે પરસેવો છૂટવા લાગે છે. ખરેખર સાચું કહ્યું છે કે ઃધીરજ, ધર્મ, મિત્ર અરુ નારિઆપતકાલ પરખહિ ચારિ.

આદર્શ રામરાજ એટલે તો હજારો વર્ષ થયાં છતાં આજેય વખણાય છે. સુખી થવું છે? જો હા તો રામ પાસે જાવ. રામાયણના શરણે જાવ. જીવનમાં રામ જ આરામ આપી શકે છે. બે માણસ સામસામા પહેલીવાર મળશે તો બોલશે રામ રામ. પવિત્ર લગ્ન સંબંધ વખતે બે વેવાઈ મળશે તો બોલશે રામ રામ.  ભક્તિમાં રામ છે, શ્રદ્ધામાં રામ છે, ભજનમાં રામ છે, માણસ છેલ્લી વિદાય લે ત્યારે પણ... રામ બોલો ભાઈ રામ... રામનામ સત્ય હૈ.
સીયરામ મય સબ જગ જાની કરઉ પ્રણામ જોરિ જુગ પાનીજય સીયારામ

ભગવાન શ્રી રામચંદ્રનો વિગતવાર પરિચય

 

નામ શ્રી રામચંદ્રજી દશરથજી
માતાનું નામ 
  સુ. શ્રી કૌશલ્યા
પિતાનું નામ  ઃ  શ્રી દશરથજી અજજી
જન્મ સ્થળ ઃ અયોધ્યા, ( અવધ) ઉત્તરપ્રદેશ, આર્યાવર્ત (ભારત)
જન્મ ઃ ચૈત્ર સુદ નોમ, બપોરના ૧૨-૦૦ વસંત ઋતુ
નક્ષત્ર-લગ્ન મુહૂર્ત ઃ પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્ન, અભિજીત મુહૂર્ત
ભાઈઓ ઃ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન
બહેન- બનેવી ઃ શાન્તા, ઋષ્ય શૃંગમુનિ
સાસુજી- શ્વસુરજી ઃ સુ શ્રી સુનયના, વિદેહી જનક રાજા
ધર્મપત્ની ઃ સુ. શ્રી જનક તનયા વૈદેહી સીતાજી
પુત્રો ઃ લવ અને કુશ
વંશ- કુળ- ગોત્ર ઃ સૂર્યવંશ, રઘુવંશ, રઘુકુળ, ઇક્ષ્વાકુ કુળ, કશ્યપ ગોત્ર
ગુરુ ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર
ઇષ્ટ દેવતા ઃ શિવજી (શંભુ ભોળાનાથ)
પ્રિય મંત્ર ઃ ગાયત્રી મંત્ર
પ્રિય ભક્ત ઃ શ્રી હનુમાનજી
પ્રિયમિત્ર ઃ સુગ્રીવ, ગુહ કેવટ, નલ, નીલ, જામ્બવાન, અંગદ, જટાયુ
પ્રિય શરણાગત ઃ વિભિષણ (શરણાગતનો રાજ્યાભિષેક અદ્વિતીય ઘટના)
ઘનુષ્ય ઃ વૈષ્ણવી અને કોદંડ
તલવાર ઃ નંદન
ગદા ઃ મોદકી અને શિખરી
બાણ ઃ બ્રહ્મદત્ત ભાથામાંથી નીકળ્યા પછી લક્ષ સિદ્ધ કરીને જ પાછું ફરે
વિશેષ ગુણ ઃ આજાન બાહુ, અભય ક્ષમા, ધીરજ, પવિત્રતા અક્રોધ
પ્રિય કર્તવ્ય ઃ આજ્ઞાાપાલન, ફરજપાલન,સમયપાલન, વચન પાલન
પ્રસિદ્ધ સદ્ગુણો ઃ એક વચન, એક પત્ની, આદર્શ જીવન, આદર્શ રામરાજ્ય
પ્રસિદ્ધ સંબોધન ઃ સીતાજી દ્વારા કરુણાનિઘાન અને આર્યપુત્ર
ભક્તવૃંદ ઃ શ્રી હનુમાનજી, વિભીષણ, ગુહ, કેવટ, શબરી
ઋષિદર્શન ઃ વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, માતંગ, અત્રિ, અગસ્ત્ય, ભારદ્વાજ
નદીઓના દર્શન ઃ સરયુ, તમસા, ગંગા, ગોદાવરી, ગોમતી, મંદાકીની વેદશ્રુતિ, સ્યન્હિકા
પર્વત- સરોવર ઃ ચિત્રકૂટ, મૈનાક, પંપા સરોવર
કોનો વધ કર્યો ઃ તાડકા, મારીચ, વાલિ, ઇન્દ્રજીત, ખર, દુષણ, કુંભકર્ણ અને રાવણ
ઇષ્ટ આપત્તિ  ઃ ચૌદ વર્ષ વનવાસ, સીતાજીનું રાવણ દ્વારા હરણ
અવતારી પુરુષ ઃ વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર - ૧૬ કલા
રામનો મુદ્રાલેખ ઃ રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાહું અરૃ વચન ન જાઈ
આગવી ઓળખ ઃ મર્યાદા પુરુષોત્તમ.


Wednesday, April 02, 2014

The name of all the organs of the human body

Head  -  શિર, માથું
Forehead  -  કપાળ
Eye  -  આંખ
Ear  -  કાન
Nose  -  નાક
Cheek  -  ગાલ
Mouth  -  મુખ, મોં
Chin  -  દાઢી
Neck  -  ગરદન
Shoulder  -  ખભો
Chest  -  છાતી
Breast  -  સ્ત્રીનું સ્તન
Arm  -  હાથ
Elbow - કોણી, કોણી ઘાટે વળેલો ભાગ
Umbilicus  -  નાભિ, દૂંટી
Forearm  -  બાવડું, કોણી અને કાંડા વચ્ચેનો ભાગ
Abdomen  -  પેટ, ઉદર, પેડુ
Wrist  -  કાંડું, હાથનું કાંડું
Hand  -  હાથ
Fingers  -  આંગળીઓ
Groin  -  જંઘામૂળ, જાંઘનો સાંધો, સાથળનું મૂળ
Penis (For Men)  -  શિશ્ન, લિંગ
Vagina (For women)  -  યોની, યોનિમાર્ગ
Thigh  -  જાંઘ
Knee  -  ઘૂંટણ
Caif    -
Leg    -   પગ
Ankle  - પગની ઘૂંટી
Foot  -  પગ
Toes  -  અંગૂઠો, પગનો અંગૂઠો

Wednesday, March 26, 2014

કેન્સરનો ખતરો ટાળે તેવો આહાર રોજ આરોગી રહો ચિંતામુક્ત

આપણે અનેકવાર વાંચ્યુ હશે કે સાંભળ્યુ હશે પૌષ્ટિક આહાર તેમજ લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે અને આપણને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. પરંતુ જ્યારે વાત તેને ખાવાની આવે છે ત્યારે આપણું મોં બગડી જાય છે. આપણા સ્વાસ્થ્ય પ્રત્યેની આ બેદરકારી મોટાભાગે ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપે છે. આપણે હંમેશા એ વાત ભુલી જતા હોઈએ છીએ કે આપણો આહાર જ આપણા સ્વાસ્થ્યનો આધાર છે. આપણે જે ખાઈએ છીએ તેનાથી જ આપણું સ્વાસ્થ્ય બને છે અને તેનાથી જ આપણે બીમારીઓનો ભોગ પણ બની શકીએ છીએ. જો વાત કેન્સરની કરીએ તો વિશ્વભરના લાખો લોકો એના કારણે મોતનો કોળીયો બની રહ્યા છે, પરંતુ કેટલાક આહાર એવા છે જેને આપણે આપણા ભોજનમાં સામેલ કરીએ તો આ બીમારીના ખતરાને ઓછો કરી શકીએ છીએ.

-બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
-ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
-લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
-ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે


બ્રોકલી - બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ ભરપુર માત્રામાં હોય છે
બ્રોકલી કેન્સરથી બચાવવામાં આપણી મદદ કરે છે. બ્રોકલીમાં ફિટાકેમિકલ્સ મોટી માત્રામાં હોય છે. જ્યારે તમે તેને ચાવો છો ત્યારે આ એન્જાઈમ્સ આપણા સિસ્ટમનો ભાગ બની જાય છે. આ હોર્મોન્સ કેન્સરથી બચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. જો કે માનવ શરીર કુદરતીરૂપે જ આ હોર્મોન્સનું નિર્માણ કરે છે, પરંતુ બ્રોકલી જ્યારે તેનો સ્ત્રાવ કરે છે, ત્યારે તે સક્રિય બની જાય છે. અનેક શોધ બાદ એ વાત સાબિત થઈ ચુકી છે કે બ્રોકલી શરીરમાં કેન્સર કોશિકાઓનું નિર્માણ થતું અટકાવે છએ. બ્રોકલીમાં રહેલુ તત્વ શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. તેનાથી આપણે ખરાબ બેક્ટેરીયાથી પણ બચી શકીએ છીએ.

ટમેટા - ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે
લાલ-લાલ ટમેટા ભોજનનો સ્વાદ તો વધારે જ છે તેની સાથે સાથે આપણા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે. ટમેટામાં લાઈકોપિન નામનું રસાયણ હોય છે. આ કેમિકલ કેન્સર સામે લડવાનું એક અસરકારક હથિયાર છે. અનેક શોધોથી એ સાબિત થઈ ચુક્યુ છે કે લાઈકોપિન અનેક પ્રકારના કેન્સરને વધતા રોકવામાં મદદ કરે છે. તેમાં પણ સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્ય અનેક કેન્સરને રોકવામાં તે મદદરૂપ બને છે. શોધ એ પણ દર્શાવે છે કે લાઈકોપિન કેન્સર કોશિકાઓના હુમલાઓથી શરીરની સ્વસ્થ કોશિકાઓને બચાવે છે, જેનાથી કેન્સરને ફેલાતુ રોકી શકાય છે. તેની સાથે તે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

લસણ - લેક્ટિન કેન્સર કોશિકાઓને  વધતી અટકાવે છે
લસણની દુર્ગંધ ભલે પસંદ ન હોય પરંતુ કેન્સરથી બચવા માટે તે ખુબ મદદરૂપ ઔષધિ મનાય છે. જો કોઈને પહેલાથી જ કેન્સર હોય તો તેને લસણનું સેવન કરવું જોઈએ. લસણનું સેવન કરવાથી કેન્સરની કોશિકાઓ ઝડપથી નાબુદ થાય છે અને ડીએનએ જલદી રિપેર થાય છે. લસણમાં એચ. પાઈલોરી સહિત અન્ય બેક્ટેરીયા સામે લડનાર એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે અલ્સર તેમજ કેન્સરને રોકવામાં કારણરૂપ બને છે. લસણનો પુરો ફાયદો મેળવવા માટે લસણની કેટલીક કળીઓ લઈ તેને 15-20 મિનીટ ખુલ્લી રાખી મુકો. આવુ કરવાથી સલ્ફરવાળા એન્જાઈમ સક્રિય અને યૌગિક મુક્ત થઈ જશે. લસણ કેન્સરના ખતરાને રોકવા કે ઓછો કરવા માટે ‘એલીઅમ’ પરિવારમાં સૌથી ઉપર આવે છે.

મશરૂમ
મશરૂમ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ શાકભાજી છે. તેનું સેવન કેન્સરથી બચાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરે છે. મશરૂમમાં બીટા-ગ્લુકણ મળી આવે છે.સાથે જ તેમાં લેક્ટિન નામનું પ્રોટીન પણ હોય છે. પરંતુ કેન્સર કોશિકાઓ પર હુમલો કરે છે અને તેને આગળ વધતુ રોકે છે. મશરૂમ શરીરમાં ઈન્ટરફેરોનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકે છે.

આદુ
આદુમાં મળતા એન્ટી ઓક્સિડેન્ટ્સ કેન્સરની કોશિકાઓ સામે લડવામાં મદદ કરે છે. નિયમિત રીતે આદુ ખાવાથી કેન્સર થવાની શક્યતા ખુબ ઓછી થઈ જાય છે. આ સિવાય આદુ કોલેસ્ટેરોલના સ્તરને ઓછુ કરે છે. તે લોહીમાં ગઠ્ઠા જામતા અટકાવે છે. આમાં એન્ટીફંગલ અને કેન્સર પ્રતિરોધી ગુણ પણ હોય છે.

ગાજર - ગાજરમાં બિટા કેરાટીન ભરપુર માત્રામાં મળી આવે છે
ગાજર સ્વાદની સાથે સ્વાસ્થ્યના ગુણોથી ભરપુર શાકભાજી છે. તેના સેવનથી કેન્સર જેવા રોગોથી બચવામાં મદદ મળે છે. ગાજરમાં બીમારી સામે લડનારા પોષક તત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા કે બીટા કેરાટીન વગેરે ભરપુર માત્રામાં હોય છે. જે કોશિકાઓને ક્ષતિગ્રસત્ થતી અટકાવી કેન્સરની કોશિકાઓના વિકાસને અવરોધે છે. આ સંદર્ભમાં ન્યુકેસલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કના વૈજ્ઞાનિકોને એક શોધમાં જાણવા મળ્યુ કે ગાજરમાં કુદરતી જંતુનાશક ફેલકેરિનાલ નામનું તત્વ હોય છે, જે મનુષ્યો માટે લાભકારક છે. સંશોધનકર્તાઓએ તારકવ્યુ કે ફેલકેરિનાલ કેન્સરની સંભાવનાને 33 ટકા ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સ્ટ્રોબેરી
ખાટી મીઠી અને રસીલી સ્ટ્રોબેરી અનેક બીમારીઓમાં સ્વાદિષ્ટ દવાનું પણ કામ કરે છે. સ્ટ્રોબેરી વિટામીન-સીથી ભરપુર હોય છે. તેને ખાવાથી ન માત્ર બ્લડપ્રેશર ઓછુ થાય છે પરંતુ ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે. આમાં હાજર ફિનોલ્સની પુરતી માત્રા તેને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણોથી ભરપુર બનાવે છે. જેના કારણે આ એક એન્ટી કેન્સર એજન્ટની માફક પણ કામ કરે છે.

હાલમાં જ થયેલી એક શોધમાં જાણવા મળ્યુ છે કે બેરી એક્સટ્રેક્ટ, ખાસ કરીને કાળી રાસ્પબેરી અને સ્ટ્રોબેરી પેટના કેન્સરની કોશિકાઓને અટકાવવામાં વધુ શક્તિશાળી છે. કેટલાક અન્ય સંશોધનકર્તાઓએ હાર્ટની બીમારી અને યાદશક્તિ નબળી પડવા સામે રક્ષણ કરવામાં બેરી ફળની ક્ષમતા હોવાનું કહ્યુ છે. સ્ટ્રોબેરીમાં અનેક એન્ટી ઓક્સિડેન્ટ છે જેમ કે એલજિક એસિડ અને વિટામીન સી વગેરે. એલેજિક એસિડના ગુણોની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે સ્ટ્રોબેરીથી શરીરમાં કેન્સરના કારણે બનનારા પદાર્થોને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે.

આ સિવાય એસિયા બેરી એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરેલી હોય છે. આ બેરી કેન્સર સિવાય બીજા અનેક રોગોમાં પ્રતિરોધનું કામ કરે છે. આ બેરીમાં સફરજન કરતા 11 ગણા વધારે એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. તો ફ્રેશ વેજિટેબલ્સ, બીન્સ, મસુરની દાળ, વટાણા અને ઈંડા કરતા ઘણી વધારે માત્રામાં તેમાંથી વિટામીન્સ મળે છે. તે ક્ષતિગ્રસ્ત સેલ્સને રિપેર કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને કેન્સરથી પણ બચાવે છે.


Tuesday, March 25, 2014

મા બાપને ભૂલશો નહિ - પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ ?

"માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે."
પણ ઘરના આ અસ્તિત્વને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.  

સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું   નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું   નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,  કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ  એ  શિવાજી  ને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ   આપીએ.  રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે " આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે    ".  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.  દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.  કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.  ખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત   છે. જો તેઓ કંઈ   પણ કરતા    ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે  તરતજ "ઓં માં"  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  "બાપ રે" આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા   પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. તે પિતાનું મહત્વ ખરા અર્થમાં સમજી શકે છે.

Great Line Must Read this

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો. એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી : અરે સંભાળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે. શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ! તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે. પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો. 
દસ વર્ષ પછી.
=======

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થઈ ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે, મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અને તે સ્માર્ટ પણ તેટલો જ છે.

આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા. થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા!

આ મારી પત્ની છે. પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે.

તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ બીજા સાથે લગ્ન કરી લીધા. પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

:(તેના પતિએ કહ્યું....
પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે! નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ

  મિત્રો મારા એક ફ્રેન્ડે મને ઈમેલથી પ્રેમ વિષે એક સરસ મજાની પોસ્ટ મોકલાવી છે. 
મને...તો એ ખુબજ ગમી, એટલે થયું કે તમારી જોડે પણ શેર કરું.  ♥

  ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુક ભાવના 

૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ એના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું, છતાય એ રોજ
દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે છે.

૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.

૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક દિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણય લીધો હતો. પણ જયારે પકડાઈ ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.

૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.

૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારીને મને આપેલી સપ્રાઈઝ ભેટ.

૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.

૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.

૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે બીમારીને લીધે બહુ દિવસથી બેડમાં હોવા છતાં, મને હસાવવા માટે કરેલો વિનોદ.

૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને છેલ્લો શ્વાસ લેતી વખતે, આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું
દીધેલ વચન. 

Monday, March 24, 2014

ગુજરાતી કેહવતો

૧. બોલે તેના બોર વહેચાય

૨. ના બોલવામાં નવ ગુણ

૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે

૫. સંપ ત્યાં જંપ

૬. બકરું કઢતા ઉંટ પેઠું

૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨. ખાલી ચણો વાગે ઘણો

૧૩. પારકી મા જ કાન વિંધે

૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં
પહોંચે અનુભવી

૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય

૧૬. દૂરથી ડુંગર રળિયામણાં

૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

૧૮. શેરને માથે સવાશેર

૧૯. શેઠની શીખામણ જાંપા સુધી

૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો

૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં

૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ

૨૩. રામ રાખે તેને કોણ ચાખે

૨૪. ઊંટના અઢાર વાંકા

૨૫. ઝાઝા હાથ રળીયામણાં

૨૬. કીડીને કણ ને હાથીને મણ

૨૭. સંગર્યો સાપ પણ કામનો

૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

૨૯. નાચ ન જાને આંગન ટેઢા

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧. ચેતતા નર સદા સુખી

૩૨. સો દાહ્ડાં સાસુના એક દા'હ્ડો વહુનો

૩૩. વાડ થઈને ચીભડાં ગળે

૩૪. ઉતાવળે આંબા ન પાકે

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે

૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે

૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ

૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં
માં

૪૧. દુકાળમાં અધિક માસ

૪૨. એક સાંધતા તેર તૂટે

૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં

૪૪. મા તે મા, બીજા વગડાનાં વા

૪૫. ધીરજનાં ફળ મીઠાં

૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું

૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે

૪૮. સો સોનાર કી એક લૂહાર કી

૪૯. રાજા ને ગમે તે રાણી

૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું

૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા

૫૨. ગાંડાના ગામ ન હોય

૫૩. સુકા ભેગુ લીલુ બળે

૫૪. બાવાનાં બેવુ બગડે

૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

૫૬. વાવો તેવું લણો

૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર

૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે

૬૦. સંગ તેવો રંગ

૬૧. બાંધી મુઠી લાખની

૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ

૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪. લાલો લાભ વિના ન લૂટે

૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા

૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી

૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય

૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧. સીધુ જાય અને યજમાન રીસાય

૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

૭૩. હસે તેનું ઘર વસે

૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના

૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

૭૬. ભેંસ આગળ ભાગવત

૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

૭૮. રાત થોડી ને વેશ ઝાઝા

૭૯. ના મામા કરતાં કાણો મામો સારો

૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧. મન હોય તો માંડવે જવાય

૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે

૮૩. પારકી આશ સદા નીરાશ

૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર

૮૫. બાર વર્ષે બાવો બાલ્યો

૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા

૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

૮૯. નામ મોટા દર્શન ખોટા

૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧. ગા વાળે તે ગોવાળ

૯૨. બાંધે એની તલવાર

૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા

૯૪. ઝાઝા ગુમડે ઝાઝી